Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

માફ કરો, મારા સોશ્‍યલ મીડિયા એકાઉન્‍ટ ઉપર લોગ કરવા માટે ઘણા પ્રયત્‍ન કરવામાં આવી રહ્યા હતા એટલા માટે તેને નિષ્‍ક્રીય કરવુ પડયુઃ સુશાંતસિંહ રાજપૂતની બહેનનો ખુલાસો

નવી દિલ્હી: થોડા દિવસો પહેલાં બધાને ત્યારે આશ્વર્ય થયું જ્યારે શ્વેતા કીર્તિ સિંહે પોતાનું ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ બંધ કરી દીધું હતું. દિવંગત બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પ્રશંસક અનુમાન લગાવી રહ્યા હતા કે અભિનેતાની બહેત શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટને કેમ ડિલીટ કરી દીધું છે.

જોકે શ્વેતાએ આ બંને એકાઉન્ટને અસ્થાયી રૂપથી નિષ્ક્રિય કરી દીધા હતા, પરંતુ પછી તેને એક્ટિવ કરી દેવામાં આવ્યા. દિવંગત અભિનેતાની કેલિફોર્નિયામાં રહેનાર બહેને પણ ટ્વિટર પર સુશાંતના પ્રશંસકો પાસે માફી માંગતા શેર કર્યા બાદ આખરે તેમણે આમ કર્યું.

તેમણે લખ્યું, 'માફ કરો, મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લોગ કરવા માટે ઘણા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા, એટલા માટે તેને નિષ્ક્રિય કરવું પડ્યું.

(5:31 pm IST)