Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

૨૪ કલાકમાં ૬૭૭૦૮ દર્દીઓ : ૬૮૦ના મોત

દેશમાં કોરોના કેસ ૭૩ લાખને પાર કરી ગયા

નવી દિલ્હી તા. ૧૫ : દેશમાં કોરોના વાયરસથી પીડિત લોકોનો આંકડો ૭૩ લાખને પાર કરી ગયો છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૭૩૦૭૦૯૮ લોકો સંક્રમિત થયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૬૭૭૦૮ નવા દર્દીઓ મળ્યા છે એ દરમિયાન ૬૮૦ લોકોના જીવ ગયા છે. ૨૪ કલાકમાં ૭૬ હજાર દર્દીઓ સાજા થયા છે.

અત્યાર સુધીમાં ૧૧૧૨૬૬ લોકોના મોત થયા છે.

 રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં ૬૩૮૩૪૪૨ લોકો સાજા થયા છે જ્યારે ૮૧૨૩૯૦ લોકોનો ઇલાજ ચાલી રહ્યો છે.

(11:05 am IST)