Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

એનસીપીના નેતા સંજય શિંદેની કારમાં આગ ભભૂકી : દરવાજા લૉક થઇ જતાં આગમાં ભડથુ

મુંબઇ આગ્રા હાઇવે પર પિંપલગાંવ બસવંત ટોલ પ્લાઝા પાસે કારમાં આગ લાગી : શિંદે જંતુનાશક ઔષધિ ખરીદવા પિંપલગાંવ જઇ રહ્યા હતા

મુંબઈ : એનસીપીના નેતા સંજય શિંદેની કારમાં આગ લાગતાં અને કારના દરવાજા લૉક થઇ જતાં શિંદે ભડકે બળતી કારમાં અંદર રહી ગયા હતા અને બળી ગયા હતા.

મુંબઇ આગ્રા હાઇવે પર પિંપલગાંવ બસવંત ટોલ પ્લાઝા પાસે એમની કારમાં શોર્ટ સર્કિટ થઇ હતી. તેમણે કારની બહાર નીકળવાના પ્રયાસો કર્યા હતા પરંતુ સેન્ટ્રલ લૉકિંગ સિસ્ટમ ધરાવતી કારના દરવાજા લૉક થઇ ગયા હતા અને શિંદે બહાર નીકળી શક્યા નહોતા. સંજય શિંદે દ્રાક્ષના નિકાસકાર તરીકે જાણીતા હતા.

આ ઘટના બની ત્યારે શિંદે જંતુનાશક ઔષધિ ખરીદવા પિંપલગાંવ જઇ રહ્યા હતા. મંગળવારે બપોરે આ દુર્ઘટના બની હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અમને કારમાં એક હેન્ડ સેનિટાઇઝરની બોટલ મળી હતી. અમને શંકા છે કે એને કારણે કારની અંદર આગ ઝડપથી ફેલાઇ હોઇ શકે. હેન્ડ સેનિટાઇઝરમાં આલ્કોહોલ વપરાય છે જે જ્વલનશીલ પદાર્થ છે.

(11:03 am IST)