Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

'લગ્નના ચાર દિવસ પછી પણ પત્નિ નજીક આવવા દેતી ન હતીઃ મને ગુસ્સો આવી ગયો અને...'

રતલામ, તા.૧૫: મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાં હત્યા સાથે જોડાયેલા મોટા સમાચાર આવ્યા છે. ૨૧ જૂનના રોજ મહિલાની હત્યા મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. મહિલાની હત્યા તેના પતિએ જ કરી હતી. આ હત્યા લગ્નના પાંચ દિવસ બાદ કરી દેવામાં આવી હતી. પત્ની શારીરિક સંબંધ બાંધવા ન દેતી હોવાથી પતિ નારાજ હતો. પત્નીની હત્યા બાદ પોલીસથી બચવા માટે પતિએ અનોખી વાર્તા દ્યડી કાઢી હતી. જોકે, પાપ છાપરે ચઢીને પોકારે તે કહેવાત પ્રમાણે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે સંધવાની અંજલીના લગ્ન શિવગઢના દિલીપ સોનાવા સાથે ૧૫ જૂનના રોજ થયા હતા. લગ્નના પાંચ દિવસ પછી દિલીપ અંજલીને ઇજાગ્રસ્ત હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં લાવ્યો હતો. અહીં ડાઙ્ખકટરોએ તેને મૃત જાહેર કરી હતી. દિલીપે હોસ્પિટલના સ્ટાફને જણાવ્યું કે તેની પત્ની બાથરૂમમાં પડી ગઈ છે.

પોલીસે હોસ્પિટલમાં બોડી રિકવર કરીને તેનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. ૧૦ જુલાઈના રોજ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો હતો. જેમાં માલુમ પડ્યું કે અંજલીનું મોત શ્વાસ રૃંધાવાથી થયું હતું. જે બાદમાં પોલીસે દિલીપની આકરી પૂછપરછ કરી હતી. પોલીસ તપાસમાં દિલીપ તૂટી ગયો હતો અને તેણે જ હત્યા કરી હોવાનો ગુનો કબૂલી લીધો હતો. સાથે જ પત્નીની હત્યા કરવાનું કારણ પણ જણાવ્યું હતું.

આરોપી દિલીપે જયારે હત્યાનું કારણ જણાવ્યું ત્યારે પોલીસ પણ વિશ્વાસ કરી શકી ન હતી. દિલીપે જણાવ્યું કે, લગ્ન બાદ પણ તેના તેની સાથે શારીરિક સંબંધ બંધાયા ન હતા. તે જયારે પણ નજીક જતો હતો ત્યારે પત્ની મનાઈ કરી દેતી હતી. આથી ગુસ્સો આવતા તેણે પત્નીની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ મૃતદેહને બાથરૂમમાં રાખી દીધી હતો. બહાર આવીને જણાવ્યું કે તેની પત્ની બાથરૂમમાં પડી ગઈ છે. દિલીપે નાક અને મોઢું દબાવીને અંજલીની હત્યા કરી નાખી હતી.

(3:55 pm IST)