Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

તુમ સલામત રહો કયામત તક ઔર ખુદા કરે કયામત ન હો ' પંજાબના સીએમ ચન્નીનો વડાપ્રધાન મોદી માટે શેર

પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ પીએમ કહ્યું, તમે અમારા માટે સન્માનીય છો.તમે પંજાબ આવ્યા છો, તમારી મુલાકાત દરમિયાન જે બન્યું તેના માટે અમે દિલગીર છીએ

નવી દિલ્હી :પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ક્ષતિ બદલ ખેદ વ્યક્ત કર્યો છે. ગુરુવારે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીને કહ્યું, તમે અમારા માટે સન્માનીય છો.તમે પંજાબ આવ્યા છો, તમારી મુલાકાત દરમિયાન જે બન્યું તેના માટે અમે દિલગીર છીએ. આ દરમિયાન સીએમ ચન્નીએ વડાપ્રધાન મોદી માટે શેર પણ વાંચ્યા હતા.

 

રણજીત સિંહ ચન્નીએ પીએમ મોદીને કહ્યું, 'તુમ સલામત રહો કયામત તક ઔર ખુદા કરે કયામત ન હો..' તમને જણાવી દઈએ કે 5 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ખામીનો મામલો સામે આવ્યો હતો. આ દરમિયાન પીએમનો કાફલો 20 મિનિટ સુધી હાઈવે પર અટવાઈ ગયો હતો, કારણ કે વિરોધ કરી રહેલા ખેડૂતો સામે હતા.

આ પહેલા સીએમ ચન્નીએ કહ્યું હતું કે વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ ખામી નથી. પીએમની સુરક્ષાને કોઈ ખતરો નહોતો. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન પર કોઈ હુમલો થયો નથી.

સીએમ ચન્નીએ વડાપ્રધાન મોદીને સુરક્ષાને રાજકીય મુદ્દો ન બનાવવાની પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપના નેતાઓએ આ મુદ્દે રાજકારણ ન કરવું જોઈએ. આ મુદ્દે બિનજરૂરી રાજનીતિ ન થવી જોઈએ. સીએમ ચન્નીએ કહ્યું હતું કે હું ખેડૂતો પર લાઠી ન ચલાવી શકું. પોતાનો ખુલાસો રજૂ કરતાં તેમણે કહ્યું કે જો કંઈ હશે તો તપાસ કરાવીશું.

(1:01 am IST)