Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

હરિદ્વારમાં યોજાયેલી ધર્મ સંસદમાં વિવાદિત નિવેદનો આપવા અંગે દાખલ કેસમાં જિતેન્દ્ર ત્યાગીની ધરપકડ

વસીમ રીઝવી ઉર્ફે જિતેન્દ્ર ત્યાગીની નારસાન નજીકથી ધરપકડ:હરિદ્વાર પોલીસે ધર્મ સંસદના કેસમાં ૧૦ સામે ફરિયાદ દાખલ કરી

નવી દિલ્હી :હરિદ્વારમાં ધર્મ સંસદમાં વાંધાજનક નિવેદનોના મુદ્દે તપાસ ચાલી રહી છે. એ દરમિયાન એમાં પ્રથમ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વસીમ રીઝવી ઉર્ફે જિતેન્દ્ર ત્યાગીની નારસાન નજીકથી ધરપકડ થઈ છે. હરિદ્વાર પોલીસે ધર્મ સંસદના કેસમાં ૧૦ સામે ફરિયાદ દાખલ કરી છે.

હરિદ્વાર પોલીસ સુપ્રીડેન્ટ યોગેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે ધર્મ સંસદના કેસમાં આ પહેલી ધરપકડ છે. તમામ આરોપીઓને ઝડપી લેવાની કવાયત શરૃ કરવામાં આવી છે.

ધર્મસંસદમાં વાંધાજનક અને ઉશ્કેરણીજનક ટીપ્પણી કરવાના આરોપમાં તેની ધરપકડ થઈ છે. ૧૭થી ૧૯ ડિસેમ્બર દરમિયાન યોજાયેલી ધર્મ સંસદમાં નફરત ફેલાય એવા નિવેદનો રજૂ થયા હતા. એ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:42 am IST)