Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

નાથદ્વારા શ્રીનાથજી મંદિરે કોરોનાના કારણે દર રવિવારે દર્શન બંધ

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૧૩ :  રાજસ્થાનમા આવેલ ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર નાથદ્વારા શ્રીનાથજી મંદિર કોરોના મહામારીનાં કારણે મહામારીના કારણે દર રવિવારે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

હાલમાં સોમવારથી શનીવાર સુધી ભાવિકો શ્રીનાથજી મંદિર નાથદ્વારા ખાતે દરરોજ દર્શનનો લાભ લઇ રહ્યા છે. પરંતુ કોરોનાના કારણે દર રવિવારે મંદિર બંધ રહેશે. અને મંગળા દર્શનથી શયન દર્શન ભીતર થશે. જે તા. ૩૦ જાન્યુઆરી અમલમાં રહેશે.  સાથો-સાથ દર રવિવારે બજાર બંધ રહેશે.

(4:43 pm IST)