Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

દેશમાં કોરોનાએ ફરી ફૂફાડો માર્યો :રાત્રે 9 વાગ્યા સુધીમાં 2.26.026 પોઝીટીવ કેસ નોંધાયા : 355 લોકોના મોત

રાત સુધીમાં 76,447 લોકો સાજા પણ થયા: સક્રિય કેસોની સંખ્યામાં 1 લાખ 49 હજાર 224નો વધારો

નવી દિલ્હી : દેશમાં બુધવારે ત્રીજી લહેર વચ્ચે પ્રથમ વખત 24 કલાકની અંદર કોરોના વાયરસના 2 લાખથી વધુ કેસ સામે આવ્યા છે રાત્રે 9 કલાક સુધી કુલ 226,026 કોવિડ કેસ અને 355 મૃત્યુ નોંધાયા છે. આ દરમિયાન 76,447 લોકો સાજા પણ થયા છે તેમજ આજે સક્રિય કેસોની સંખ્યામાં 1 લાખ 49 હજાર 224નો વધારો થયો છે. હવે કુલ 10 લાખ 98 હજાર 383 સંક્રમિત થયા છે.

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં 3 કરોડ 62 લાખ 96 હજાર 452 લોકો કોવિડની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 3 કરોડ 46 લાખ 98 હજાર 503 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ દરમિયાન 4 લાખ 85 હજાર 012 લોકોના મોત પણ થયા છે.

(11:57 pm IST)