Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

થાઇલેન્ડમાં ટ્રેન અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : 17 લોકોનાં મોત: 30 ઘાયલ

ચાચેઓંગસાઓમાં વરસાદ દરમિયાન વિઝિબિલિટી ચોખ્ખી નહીં હોવાને કારણે અકસ્માત

થાઇલેન્ડમાં ટ્રેન અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 17 લોકોના મોત નીપજ્યાં છે જયારે 30 લોકો ઘાયલ થયા છે  થાઇલેન્ડના મધ્ય ભાગમાં, બસ 65 મુસાફરોને લઈને જઈ રહી હતી ત્યારે બસની એક ટ્રેનની સાથે ટક્કર થઈ હતી. થાઇલેન્ડના અધિકારીઓએ આ માહિતી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચાચેઓંગસાઓમાં વરસાદ દરમિયાન વિઝિબિલિટી ચોખ્ખી ન હોવાને કારણે બસના ચાલકે ટ્રેન આવવાનું સિગ્નલ જોયું ન હતું અને રેલ્વે લાઇન ક્રોસ કરતી વખતે તે ટ્રેન સાથે ટકરાઈ હતી. આ ઘટના બેંગકોકથી 80 કિમી દૂર પૂર્વી વિસ્તારમાં બની છે.

ચાચેઓંગસાઓનાં જિલ્લાના ચીફ ઓફિસર પૃથુએંગ યુકાસેમે થાઇલેન્ડની ટીવી ચેનલ પીબીએસને જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા 17 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે ત્રીસ લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘટના સમયે વરસાદ પડી રહ્યો હતો અને શક્ય છે કે બસના ચાલકે ટ્રેન જોઇ નહીં હોય.

(5:32 pm IST)