Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

કોરોના વાયરસથી કુંવારા લોકોમાં મૃત્યુનું જોખમ વધારે

કુંવારા મહિલા કે પુરૂષોમાં કોવિડ-૧૯થી મૃત્યુનું જોખમ વિવાહિત લોકોની સરખામણીએ દોઢથી બે ગણું વધારે હોય છે

સ્વીડન,તા.૧૨: : સ્વસ્થ જીવન વિતાવવા માટે લગ્નજીવન ખૂબ જરૂરી છે. આ વાત બહુ પહેલાંથી કહેવામાં આવી રહી છે. પરંતુ કોરોનાકાળમાં ફરી એકવાર આ તર્ક સાચો સાબિત થતો હોય તેવું લાગે છે. કોરોના વાયરસ અંગે એક નવું રિસર્ચ સામે આવ્યું છે. આ રિસર્ચમાં કોવિડ-૧૯થી લગ્ન કરેલા લોકોની સરખામણીમાં કુંવારા લોકોમાં જીવનું જોખમ વધી જાય છે. અને કેટલાંક કિસ્સાઓમાં તો મૃત્યુ પણ થઈ જાય છે. ત્યારે કોણે આ રિસર્ચ કર્યું?. અને કયા માપદંડના આધારે આ તારણ કાઢવામાં આવ્યું? 

એકબાજુ કોરોનાનો કહેર અટકવાનું નામ લઈ રહ્યો નથી. ત્યારે રોજેરોજ થઈ રહેલા નવા રિસર્ચથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી એવું કહેવાતું હતું કે કોરોના વાયરસ ઉંમરલાયક કે વૃદ્ઘ વ્યકિત પર અટેક કરે છે. પરંતુ આ વખતે એવું રિસર્ચ સામે આવ્યું છે. જેણે અનમેરિડ એટલે કે કુંવારા લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે.

એવું કહેવાય છે કે હેલ્ધી લાઈફ માટે લગ્ન જીવન હવે જરૂરી થઈ ગયું છે. મહામારીના આ સંકટકાળમાં આ તર્ક સાચો સાબિત થવા લાગ્યો છે. એક નવી સ્ટડી પ્રમાણે કોવિડ-૧૯થી કુંવારા લોકોમાં મૃત્યુનું જોખમ લગ્ન કરેલા લોકોની સરખામણીમાં વધારે થાય છે. આ રિસર્ચ કર્યું છે સ્વીડનની યુનિવર્સિટી ઓફ સ્ટોકહોમે. તેના વૈજ્ઞાનિકોએ કોરોના અંગે ચેતવણી પણ આપી દીધી છે.

આ સ્ટડી સ્વીડિશ નેશનલ બોર્ડ ઓફ હેલ્થ એન્ડ વેલફેર દ્વારા સ્વીડનમાં કોવિડ-૧૯દ્મક રજિસ્ટર્ડ થયેલા મોતના ડેટા પર આધારિત છે.

આ સ્ટડીમાં ૨૦ વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. આ સ્ટડીના લેખક સ્વેન ડ્રેફ્હાલ કહે છે કે કોવિડ-૧૯થી થયેલા મોતની સાથે અનેક મોટા પરિબળ મજબૂતાઈથી જોડાયેલા છે.

આ યાદીમાં કુંવારા, વિધવા-વિધુર અને છૂટાછેડા લીધેલા લોકો પણ સામેલ છે. કુંવારા લોકોને મેરિડ કપલની સરખામણીએ ઓછું સુરક્ષિત વાતાવરણ મળે છે. આથી મેરિડ કપલ કુંવારા લોકોની સરખામણીએ ઓછા બીમાર પડે છે. આ રિસર્ચમાં કોવિડ-૧૯થી કુંવારા લોકોમાં મૃત્યુની વધારે સંભાવનાને સારી રીતે સમજી શકાય છે.

આ રિસર્ચની માહિતી મેળવવા માટે સંશોધનકર્તાઓએ સ્વીડનમાં કોરોનાથી સંક્રમિત ૨૦ વર્ષથી વધારે ઉંમરના મૃતકોનો ડેટા તૈયાર કર્યો. કોરોનાથી સંક્રમિત દર્દીઓની જાણકારી દર્દીઓના સરકારી ડેટા પરથી મેળવવામાં આવી છે. જેમાં સામે આવ્યું કે કોરોનાથી તે દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

હાલ આખી દુનિયામાં કોરોનાના કેસનો આંકડો પોણા ૪ કરોડને વટાવી ગયો છે.

જેમાં કોરોનાનો સૌથી વધારે માર અમેરિકા, ભારત અને બ્રાઝિલ જેવા દેશો પર પડ્યો છે. એકલા અમેરિકા અને ભારતમાં જ કોરોનાના કુલ દોઢ કરોડથી વધારે કેસ થઈ ગયા છે. અત્યાર સુધી એવું કહેવાતું હતું કે કોરોના ઉંમરલાયક કે વૃદ્ઘ લોકો પર સૌથી વધુ અસર કરે છે. પરંતુ નવા રિસર્ચથી કુંવારા લોકોની ચિંતામાં ચોક્કસ વધારો થઈ ગયો છે.

(11:27 am IST)