Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

બપોરે 3.03 મિનિટે

મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા પછી હવે વિજયભાઇ રૂપાણી થોડીવારમાં પત્રકાર પરીષદને સંબોધન કરશે

જોગાનુજોગ મનસુખભાઈ માંડવીયા પણ ગાંધીનગરમાં

નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ તથા સંગઠન મહામંત્રી વી. સતીષ પણ સાથે રાજયપાલને મળવા રાજભવન પહોચ્યા હતા અને પોતાના હોદ્દાનું રાજીનામુ આપ્યુ છે. ગાંધીનગરમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઇ છે. જોગાનુજોગ કેન્દ્રીય આરોગ્યમંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા પણ સરદાર ધામના ઉદ્દઘાટન પ્રસંગે ગઈરાત્રે ગાંધીનગર આવી ચૂકયા છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પણ સાથે બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

(3:06 pm IST)