Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

સાંજે પૂ.મોરારીબાપુના વ્યાસાસને દાર્જીલીંગમાં શ્રીરામકથાનો પ્રારંભ

રાજકોટ તા.૧૧ : પૂ.મોરારીબાપુના વ્યાસાસને આજે શનિવાર સાંજથી દાર્જીલિંગમાં ઓનલાઇન શ્રી રામકથાનો પ્રારંભ થશે.

પૂ.મોરારીબાપુની ૮૬પમી રામકથા ૧૧ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર ર૦ર૧ દરમિયાન દાર્જિલિંગના જિમખાના કલબમાં યોજાશે. વૈશ્વિક ધરોહર તરીકે ઓળખાતી ધરાવતી શિવાંલિક પર્વતમાળા વચ્ચે વધુ હિમાલય સ્થિત આ શહેરમાં કોરોનાના નિયમોનું પુર્ણ પાલન કરતા પહેલેથી આમંત્રિત સીમિત શ્રોતાઓ જ કથામાં સામેલ થઇ શકશે. ૧૧ સપ્ટેમ્બરથી સાંજે ૪ થી ૬ તથા ૧ર થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન સવારે ૧૦ થી બપોરે ૧.૩૦ સુધી કથા થશે. કથાનું જીવંત પ્રસારણ આસ્થા ચેનલ અને ચિત્રકુટધામ તલગાજરડા યુટયુબ ચેનલ દ્વારા કરાશે.

(12:56 pm IST)