Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

બિહારમાં સ્વાઇન ફલુએ પગલા પાડયા

કોરોના મહામારીના ઓછાયા વચ્ચે નવી મુસિબતની પધરામણી : ૩ દર્દી

પટણા તા. ૧૧ : બિહારમાં સ્વાઇન ફલૂએ દસ્તક આપી છે. નવ ઈન્ફલ્યુએન્ઝાના દર્દીઓને રાજાબજારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, તેમાંથી ત્રણ સ્વાઇન ફલૂના દર્દીઓ છે. સ્વાઈન ફલૂની દસ્તક જોતા સત્ત્।ાવાળાઓ એલર્ટ થઈ ગયા છે. લક્ષણો મળવા પર, લોકોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં પરીક્ષણ કરાવવાની સલાહ પણ આપવામાં આવી છે.

ઈન્ફલ્યુએન્ઝાથી પીડાતા ફુલવારીશરીફના ૫૫ વર્ષીય વ્યકિતનું રાજાબજારની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જોકે, આ દર્દીને કિડની સંબંધિત ગંભીર બીમારી પણ હતી. જિલ્લા આરોગ્ય સમિતિની ટીમ દ્વારા દર્દીઓની સંપૂર્ણ વિગતો લેવામાં આવી રહી છે. પરિવારના સભ્યોની પણ તપાસ કરવામાં આવશે.

(11:46 am IST)