Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કોરોના સામે લડતની સાથે વિકાસ અને વહીવટી કામો પણ જરૂરી : અમિતભાઇ

ગાંધીનગરમાં ૧૩૪.૬૪ કરોડના કામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુર્હુત કરતા ગૃહમંત્રી

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઇ શાહે ગાંધીનગર શહેર અનેજીલ્લાના કુલ૧૩૪.૬૪ કરોડના ૩૯ પ્રોજેકટનું ઓનલાઇન ખાતમુર્હત અને લોકાર્પણ કરેલ. દિલ્હીથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમ યોજાયેલ. અમિતભાઇએ સંબોધન કરતા જણાવેલ કે ગુજરાતમાં કોરોનાનો મૃત્યુદર નીચો આવ્યો છે. અને કોરોનાને મ્હાત આપી સાજા થયેલ લોકોની સંખ્યા પણ વધી છે કોવીડ-૧૯ સામેની લડાઇ હજુ પુરી નથી થઇ. જનજાગૃતિ એ જ રસ્તો છે. કોરોના સામેની લડતની સાથોસાથ વિકાસ અને વહીવટી કામો પણ જરૂરી છે.
 

(11:49 am IST)