Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ફિલ્મ અભિનેત્રી કંગના રણૌતની ઓફિસ અમે નહીં, BMCએ તોડી છે: શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત

ડિમોલેશનમાં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતના હાથ અદ્ધર

મુંબઈ, તા. ૧૦ : ફિલ્મ અભિનેત્રી કંગના રણૌતની ઓફિસ પર બુલડોઝર ફેરવવામાં આવ્યા બાદ કંગના અને શિવસેના વચ્ચેના ટકરાવથી તનાવ વધી ગયો છે. એક તરફ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી મુંબઈ કોર્પોરેશનના પગલાંથી નારાજ છે તો શિવસેનાના પ્રવક્તા અને જેમના કારણે આ સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી તે સંજય રાઉતે હાથ અધ્ધર કરી દીધા છે. ગુરૂવારે રાઉતને આ અંગે સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે, કંગનાની ઓફિસ પર કોર્પોરેશને કર્યવાહી કરી છે અને શિવસેનાને તેની સાથે કોઈ લેવા-દેવા નથી.આ મામલા પર તમે મેયર કે બીએમસી કમિશનર સાથે વાત કરો. મીડિયા રિપોર્ટ પ્રમાણે એ પછી સંજય રાઉત ઉધ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી ખાતે પહોંચ્યા છે.જ્યાં પાર્ટીની આગામી રણનીતિ અંગે ચર્ચા વિચારણા થશે.

(12:00 am IST)