-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
GSTR-1ની સમયમર્યાદા પૂરીઃ હવે રોજ રૂ. ૨૦૦ પેનલ્ટી
પોર્ટલની સમસ્યા યથાવત્ રહી હોવાથી અનેક વેપારીઓ જીએસટીઆર-૧ ભરી શકયા નથી
અમદાવાદ તા. ૧૧ : જીએસટી પોર્ટલની સમસ્યાઓ વચ્ચે બુધવારે જીએસટીઆર-૧ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ હતી અને તેની સમયમર્યાદા વધી હોવાનું ફેક નોટિફિકેશન સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સરકારે મોડી સાંજે સ્પષ્ટતા કરી હતી કે આ રિટર્ન ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી નથી. રિટર્ન નહીં ભર્યું હોય તેવા વેપારીઓએ હવે પ્રતિ દિવસ રૂ. ૨૦૦ પેનલ્ટી ભરવી પડશે..
રૂ.૧.૫૦ કરોડથી વધારે ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે જુલાઈ-નવેમ્બરના માસિક અને તેનાથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે સપ્ટેમ્બર સુધીના ત્રિમાસિક જીએસટીઆર-૧ ભરવાની છેલ્લી તારીખ અગાઉ ૩૧ ડિસેમ્બર હતી તે વધારીને ૧૦ જાન્યુઆરી કરી હતી. બુધવારે એક ફેક નોટિફિકેશન વાઇરલ થયું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે રિટર્નની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. જોકે, સરકારે મોડી સાંજે સ્પષ્ટતા કરી હતી કે ૧૦ જાન્યુઆરી જ છેલ્લી તારીખ છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જીએસટીઆર-૧ રિટર્ન એ કોઈ પણ વેપારીએ કરેલા વેચાણની વિગતોનું વિગતવાર રિટર્ન છે અને જે-તે વેપારીએ દરેક વેચાણના ઈનવોઇસ સહિત તે ભરવાનું રહે છે. જીએસટીઆર-૩બી સમરી રિટર્ન ભર્યા બાદ આ રિટર્ન ભરવાની જવાબદારી આવે છે.
જોકે, પોર્ટલની સમસ્યા યથાવત્ રહી છે અને જે વેપારીઓ જીએસટીઆર-૧ ભરી શકયા નથી તેમણે સીજીએસટી અને એસજીએસટી પ્રત્યેક માટે પ્રતિ દિવસ કુલ રૂ.૨૦૦ પેનલ્ટી ભરવાની રહેશે. સીએ કરીમ લાખાણીએ જણાવ્યું હતું કે, 'બુધવારે પણ આખો દિવસ સિસ્ટમમાં ખામી જોવા મળી હતી અને રિટર્ન ફાઇલ કરવા શકય બન્યા નહોતા. એચએસએન કોડની સમરીમાં પણ મુશ્કેલી આવી રહી છે. સમરી જનરેટ કરવામાં મુશ્કેલી થાય છે અને ટર્નઓવર વેલ્યૂમાં પણ ભૂલ આવે છે. ઈનવોઇસ અપલોડ અને મોડિફાય કરવામાં બહુ સમય લાગે છે. આ સંજોગોમાં જે વેપારીઓના રિટર્ન ભરી શકાયા નથી તેની જવાબદારી કોની એ પણ નક્કી થવું જોઈએ કારણ કે પેનલ્ટીનો સ્તર બહુ ઊંચો છે.' તેમણે કહ્યું હતું કે નવેમ્બરમાં ટેકસ ભરવાપાત્ર વેપારીઓએ પ્રતિ દિવસ રૂ.૫૦ અને ટેકસ રહિત રિટર્ન ભરતા વેપારીઓએ પ્રતિ દિવસ રૂ.૨૦ પેનલ્ટી કરવામાં આવી હતી પરંતુ જીએસટીઆર-૧માં પેનલ્ટીના દરમાં રાહત આપવામાં આવી નથી.(૨૧.૮)