Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

રાજસ્થાનમાં મંદિરના પુજારીને જીવતો સળગાવી દીધો : આરોપી ઝડપાઇ ગયો પરંતુ રાજકારણ શરૂ થઇ ગયું : હવે રાજસ્થાનની ગેહલોત સરકારનું રાજીનામું માંગો : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર સહીત ભાજપ આગેવાનોના રાહુલ ગાંધી ઉપર પ્રહારો

જયપુર : રાજસ્થાનના કરોલી જિલ્લાના એક ગામમાં મંદિરના પુજારીને જીવતો સળગાવી દેવાની ઘટના બની છે.તે મંદિરની જગ્યા ઉપર કબ્જો જમાવી દેવા માંગતો હતો તેવી શંકાને આધારે ઉપરોક્ત કૃત્ય આચરાયું હોવાનું જાણવા મળે છે.આ ઘટનાનો આરોપી કૈલાસ મીના ઝડપાઇ ગયો છે.પરંતુ રાજનીતિ શરૂ થઇ ગઈ છે.
રાજસ્થાનમાં બનેલી આ ઘટનાને અનુસંધાને ભાજપ આગેવાનોએ રાહુલ ગાંધી ઉપર પ્રહારો શરૂ કરી દીધા છે.જે મુજબ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર ,રાજસ્થાનના પૂર્વ મુખ્ય મંત્રી વસુંધરા રાજે સહિતનાઓએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં ગુનાખોરીનો આંક ઊંચો જઇ રહ્યો છે.અહીંયા બાળકો ,મહિલાઓ કે વૃદ્ધો સહીત કોઈ સલામત નથી.તેથી હવે રાહુલ ગાંધીએ કોંગ્રેસી મુખ્યમંત્રીનું રાજીનામુ માંગવું જોઈએ .

(5:31 pm IST)