Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કોઇપણ જાતની મહેચ્છા રાખ્યા વગર લોકોની વચ્ચે જઇને કામ કરે છે આરઆરએસના સ્વયંસેવકોઃ મોહન ભાગવત

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહયું કે આ સંગઠનની સૌથી મોટી તાકાત છે તેના સ્વયંસેવકો, જે કોઇપણ પ્રકારની વાહ વાહી કે ઇનામની લાલચ વગર લોકોની વચ્ચે જઇને સતત અથાક પરિશ્રમ કરે છે. ભાગવતે કહયું કે લોકપ્રિયતા અને મહત્તા બે અલગ અલગ વસ્તુઓ છે અને સંઘમાં એવા લોકો છે જે કોઇપણ પ્રકારના વખાણની ઇચ્છા વગર સતત લોક કલ્યાણના કામો કરતા રહે છે. 

(2:51 pm IST)