-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
શિયાળામાં દિલ્હીમાં કોરોનાના રોજ ૧૫,૦૦૦ કેસ આવવાની શકયતા
નવી દિલ્હી,તા. ૯:રોગ નિયંત્રણ માટે રાષ્ટ્રીય નિયંત્રણ (એનસીડીસી) દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે રાષ્ટ્રીય રાજધાનીના આગામી શિયાળા અને તહેવારોમાં દિવસના ૧૫,૦૦૦ કોવીડ -૧૯ કેસ આવે તેવી સંભાવના છે. અહેવાલમાં ચિંતાના ત્રણ કારણો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જે આરોગ્ય સેવાઓ પર વધુ દબાણ લાવી શકે છે.
(૧) શિયાળાના મહિનાઓ જે શ્વસન રોગોને ગંભીર બનાવે છે
(૨) મોટી સંખ્યામાં દર્દીઓ દિલ્હીની બહારથી આવી શકે છે
(૩) દૂરના વિસ્તારોમાંથી આવતા દર્દીઓ ગંભીર થવાની સંભાવના વધારે હોય છે.
ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત, તહેવાર સંબંધિત ઉજવણી સાથે, કેસોમાં અચાનક વધારો થઈ શકે છે. રિપોર્ટનો ડ્રાફ્ટ એનસીડીઆઈ દ્વારા એનઆઈટીઆઈના સભ્ય (આરોગ્ય) ડો. વી.કે. પોલની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. અહેવાલમાં ભલામણ કરવામાં આવી છે કે દિલ્હી સરકારે દરરોજ આશરે ૧૫,૦૦૦ કોરોના પોઝિટિવ કેસના વધારા માટે તૈયાર રહેવું જોઇએ અને મધ્યમ અને ગંભીર રોગવાળા દર્દીઓના પ્રવેશ માટેની વ્યવસ્થા કરવી જોઈએ.
રાષ્ટ્રીય રાજધાનીમાં સેરો-સર્વેનો હવે પછીનો રાઉન્ડ ૧૫ ઓકટોબરથી શરૃ થશે, જે અગાઉ ૧ ઓકટોબરથી હતો. બુધવારે સૂત્રોએ આ માહિતી આપી હતી. અગાઉના સર્વેક્ષણમાં ૧ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીમાં કોરોના વાયરસ ચેપની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને રોગચાળાને નાથવા માટે વ્યૂહરચના દ્યડવા માટે હાથ ધરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ સર્વે મોડો પડ્યો હતો. વિલંબનું કારણ એ છે કે ગયા મહિને હાથ ધરવામાં આવેલા સર્વેના પરિણામો ૩૦ સપ્ટેમ્બરના રોજ દિલ્હી હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
એક સત્ત્।ાવાર સૂત્રએ જણાવ્યું હતું કે આ મહિનાનો સર્વે હવે ૧૫ ઓકટોબરથી શરૃ થશે. અધિકારીઓએ જણાવ્યું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ -૧૯ ને કારણે વધુ ૩૯ દર્દીઓનાં મોત પછી મંગળવારે કુલ મૃત્યુઆંક ૫,૫૮૧ પર પહોંચી ગયો. તે જ સમયે, ચેપના ૨,૬૭૬ નવા કેસોના આગમન સાથે, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને ૨.૯૫ લાખ થઈ ગઈ છે.