Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

કેરળ અને મહારાષ્ટ્રમાં કેસ ઘટયા : દેશમાં નવા 36.028 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 39.828 દર્દીઓ રિકવર થયા : વધુ 447 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.28.339 થયો :એક્ટીવ કેસ 3.96.690 થયા : કુલ કેસની સંખ્યા 3.19.69.588 થઇ

સૌથી વધુ કેરળમાં 18.607 કેસ, મહારાષ્ટ્ર્રમાં 5508 કેસ, આંધ્રપ્રદેશમાં 2050 કેસ, તામિલનાડુમાં 1956 કેસ, કર્ણાટકમાં 1598 કેસ,ઓરિસ્સામાં 1243 કેસ.મણીપુરમાં 736કેસ, મિઝોરમમાં 709 કેસ નોંધાયા

>નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે આજે દેશમાં કોરોનાનાં નવા 36.028 કેસ નોંધાયા છે. જ્યારે 39.828 દર્દીઓ રિકવર થયા છે
 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 36.028 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 447 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.28.339 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 36.028 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.19.69.588 થઇ છે  એક્ટિવ સંખ્યા 3.96.690 થઇ છે છેલ્લા 24 કલાકમાં 39.828 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.11.31.922 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 18.607 કેસ, મહારાષ્ટ્ર્રમાં 5508 કેસ, આંધ્રપ્રદેશમાં 2050 કેસ, તામિલનાડુમાં 1956 કેસ, કર્ણાટકમાં 1598 કેસ,ઓરિસ્સામાં 1243 કેસ.મણીપુરમાં 736કેસ, મિઝોરમમાં 709 કેસ નોંધાયા છે
(12:00 am IST)