Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું નિધન: લાંબા સમયથી બીમાર હતા : એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં : પુત્ર ચિરાગ પાસવાને ટ્વીટ કરીને જાણકારી આપી

નવી દિલ્હી:  કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું થયું છે. પાસવાન છેલ્લા લાંબા સમયથી બિમાર હતા, તેઓએ એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં છે. રામવિલાસના પુત્ર ચિરાગ પાસવાને ટ્વિટ કરીને જાણકારી આપી છે.

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનું આજે ગુરુવારે નિધન થયું છે  તેમના પુત્ર અને સાંસદ ચિરાગ પાસવાને ટ્વીટ કરીને આ જાણકારી આપી.હતી 

તેમણે પોતાના પિતાની તસવીર સાથે લખ્યું, "પાપા...હવે તમે આ દુનિયામાં નથી પણ મને ખબર છે કે તમે જ્યાં પણ હશો ત્યાં મારી સાથે હશો."

"મિસ યુ પાપા"

ગત 3 ઓક્ટોબરે મોડી રાત્રે રામ વિલાસ પાસવાનના હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. મૌસમ વિજ્ઞાની કહેવાતા રામ વિલાસ પાસવાન 1969માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પાસવાન મોદી કેબિનેટમાં ઉપભોક્તા મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી હતા

 5 જુલાઈ 1946ના દિવસે બિહારના ખગડિયામાં જન્મેલા રામવિલાસ પાસવાન કોસી કોલેજ અને પટના યુનિવર્સિટીથી પોતાનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ 1969માં બિહારના ડીએસપી તરીકે પસંદ પામ્યા હતા. 1969માં પહેલીવાર સંયુક્ત સોશલિસ્ટ પાર્ટીથી ધારાસભ્ય બનનાર પાસવાન રાજ નારાયણ અને જયપ્રકાશ નારાયણને અનુસરણ કરતા હતા.

  પાસવાન 1974માં પહેલીવાર લોકદળના મહાસચિવ બન્યા હતા. તેઓ વ્યક્તિગત રૂપથી રાજ નારાયણ, કપૂરી ઠાકુર અને સત્યેન્દ્ર નારાયણ સિન્હા જેવા કટોકટના પ્રમુખ નેતાઓના નજીકના ગણાતા હતા.
  પાસવાને બે લગ્ન કર્યા હતા. પહેલી પત્ની રાજકુમારી દેવી સાથે તેમનો સંબંધ 1969થી 1981 સુધી રહ્યો હતો. 1982માં તેમણે રીના શર્મા સાથે લગ્ન કર્યા હતા. પાસવાનને પરિવારમાં તેમના પત્ની ઉપરાંત બે પુત્રીઓ ઉષા અને આશા પાસવાન અને એક પુત્ર ચિરાગ પાસવાન છે.

(9:34 pm IST)