Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

એસબીઆઇના ગ્રાહકોને હવે પેનલ્‍ટીમાં રાહતઃ એવરેજ બેલેન્‍સમાં ઘટાડાની સુવિધા મળશેઃ 45 કરોડ ખાતાધારકો માટે ખુશખબરી

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ મેટ્રો અને રૂરલ એરિયા માટે મિનિમમ બેલેન્સની લિમિટ ઘટાડી દીધી છે. હવે મેટ્રો અને અર્બન સિટી માટે મંથલી એરવેજ બેલેન્સ 3000 હજાર રૂપિયા અને રૂરલ એરિયા માટે તે 1000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ સાથે મિનિમમ બેલેન્ટ મેન્ટેન ન કરવા પર લાગતા ચાર્જને પણ ઘટાડી દીધો છે.

45 કરોડ ગ્રાહકોને મળશે ફાયદો

એસબીઆઈના નવા નિયમનો ફાયદો આશરે 45 કરોડ ગ્રાહકોને મળશે. સામાન્ય રીતે મિનિમમ બેલેન્ટ મેન્ટેન ન કરવા પર 5-15 રૂપિયાનો ચાર્જ અને જીએસટી અલગથી લાગતું હતું. એસબીઆઈએ એપ્રિલ 2017મા મિનિમમ એવરેજ બેલેન્જ ચાર્જ લાગૂ કર્યો હતો.

કઈ રીતે લાગશે ચાર્જ

મેટ્રો સિટીની વાત કરીએ તો મિનિમમ બેલેન્સમાં 50 ટકા ઘટપા પર દંડના રૂસમાં 10 રૂપિયા અને જીએસટી લાગશે. જો તેમાં 50-75 ટકાનો ઘટાડો થાય તો ચાર્જ 12 રૂપિયા અને જીએસટી લાગશે. જો એકાઉન્ટ હોલ્ડરનું બેલેન્સ 75 ટકાથી વધુ ઘટે તો ફાઇનના રૂપમાં 15 રૂપિયા અને જીએસટી લાગશે.

1 ઓક્ટોબરથી રેમિટેન્સ પર TCS

આ સિવાય 1 ઓક્ટોબરથી ટેક્સ કલેક્ટેડ એટ સોર્સને પણ લાગૂ કરવામાં આવ્યું છે. આ હેઠળ એક નાણાકીય વર્ષમાં 7 લાખથી વધુ રેમિટેન્સ મોકલવા પર તેને લાગૂ કરવામાં આવશે. પરંતુ તેમાં એજ્યુકેશન લોન સંબંધી પેમેન્ટ સામેલ નથી. વિદેશ ફરવાના ઈરાદાને લઈને મોકલાતા પૈસા પર ટીસીએસ વસૂલ કરવામાં આવશે. આ અમાઉન્ટ જો સાત લાખથી ઓછી હશે ત્યારે પણ ટીસીએસ લાગૂ થાય છે.

(4:53 pm IST)