Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

રાહુલ અને કુલદીપ યાદવ ઇજાગ્રસ્ત: શ્રેણીમાંથી બહાર થઈ ગયા: રાહુલની જગ્યાએ ઋષભ પંત ટીમનું નેતૃત્વ કરશે: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો

દક્ષિણ આફ્રિકા સામે આવતીકાલથી શરૂ થઈ રહેલી પાંચ મેચની ટી-ટ્વેન્ટી મેચો ના એક દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયાને એક મોટો આંચકો લાગ્યો છે.  સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં કેપ્ટન બનાવવામાં આવેલા કે એલ રાહુલ અને કુલદીપ યાદવ ઈજાગ્રસ્ત થયા છે, જેના કારણે તેઓ સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.  રાહુલની જગ્યાએ હવે વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત પ્રથમ મેચમાં ટીમનું નેતૃત્વ કરશે.

(11:12 pm IST)