Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

વિશ્વમાં પહેલીવાર ટ્રાયલમાં દવાથી ‘કેન્‍સર મુકત' થયા દર્દી

૧૮ દર્દીઓને આપવામાં આવી ‘ડોસ્‍ટારલિમેબ' નામની દવાઃ બધા સાજા થઇ ગયા : ૬ મહિના સુધી દવાનો ડોઝ અપાયો : જોવા મળ્‍યા ચમત્‍કારિક પરિણામો : બધા દર્દીઓમાં કેન્‍સર ટયુમર અદ્રશ્‍ય થયું

ન્‍યુયોર્ક,તા. ૮ : વિશ્વમાં પહેલીવાર એક દવાના ટ્રાયલમાં સામેલ કેન્‍સરના બધા દર્દીઓ સાજા થઇ ગયા. જો આ ટ્રાયલ ૧૮ દર્દીઓ પર જ થયું છે તેમને ૬ મહિના સુધી ‘ડોસ્‍ટારલિમેબ' નામની દવા આપવામાં આવી હતી. જે પછી દર્દીઓનું રેકટલ કેન્‍સર ઠીક થયું. બધા દર્દીઓમાંથી કેન્‍સર ટયુમર ગાયબ થયાનું જોવા મળ્‍યુ હતું.

મળાશયના કેન્‍સરનો સામનો કરી રહેલા લોકોનું એક ગ્રુપ ત્‍યારે ચોંકી ઉઠ્‍યું કે જયારે પ્રાયોગિક ઉપચાર બાદ તેઓ કેન્‍સરમાંથી ‘સાજા' થઈ ગયા. એક ઈન્‍ટરનેશનલ ન્‍યૂઝ રિપોર્ટ મુજબ, એક નાનકડા ક્‍લિનિકલ ટ્રાયલમાં૧૮ દર્દીઓને ૬ મહિના માટે ‘Dostarlimab’ નામનું ડ્રગ આપવામાંઆવ્‍યુંકે જેના ચમત્‍કારિક પરિણામ જોવા મળ્‍યા અને આ તમામ લોકોનુંટ્‍યુમર ‘ગાયબ' થઈ ગયું.

મળતી માહિતી મુજબ, ‘Dostarlimab’ લેબમાંઉત્‍પાદિત ‘moleculeવાળી દવા' છે જે માનવ શરીરમાંસબ્‍સ્‍ટીટ્‍યુટ એન્‍ટિ બોડી તરીકે કામ કરે છે. મળાશયના કેન્‍સરના તમામ ૧૮ દર્દીઓને  એક જ દવા આપવામાંઆવી કે જેના ચોંકાવનારા પરિણામ આવ્‍યા અને દરેક દર્દીનું કેન્‍સર પૂર્ણરીતે ખતમ થઈ ગયું. શારીરિક પરિક્ષણ, એન્‍ડોસ્‍કોપી, પીએટી સ્‍કેન અથવા એમઆરઆઈ સ્‍કેનમાંતેના કોઈ લક્ષણ જોવા મળ્‍યા નહીં. ન્‍યૂયોર્કના ડોક્‍ટરે કહ્યું કે કેન્‍સરના ઈતિહાસમાં આવું પહેલી વખત થયુંછે.

એક ઈન્‍ટરનેશનલ રિપોર્ટ મુજબ, ક્‍લિનિકલ ટ્રાયલમાં સામેલ દર્દીઓને પોતાના અગાઉના ઉપચારમાં કેન્‍સર ‘મટાડવા' માટે કીમોથેરેપી, રેડિયેશન અને ઈનવેસિવ સર્જરી જેવા કઠિન ઉપાયોનો સામનો કરવો પડ્‍યો હતો. જેના પરિણામ રૂપે કેટલાંક રોગ થાય તેવી પણ આશંકા હતી. જેથી આ ૧૮ દર્દીઓ આગામી તબક્કા માટે ક્‍લિનિકલ ટ્રાયલમાં ગયા, ત્‍યારબાદ તેઓને કોઈ સારવારની જરૂર પડી નહીં.

હવે મેડિકલની દુનિયામાંઆ પરિણામની ચર્ચા થઈ રહી છે. મીડિયા સાથેની ચર્ચામાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એક્‍સપર્ટ ડોક્‍ટરે જણાવ્‍યુંકે અગાઉ ક્‍યારેય એવુંસાંભળ્‍યુંનથી કે કેન્‍સર સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયું હોય. જે દુનિયામાંઆ પ્રકારનુંપ્રથમ રિસર્ચ છે. રિપોર્ટ દરમિયાન, હોસ્‍પિટલમાં દાખલ ૧૮ કેન્‍સરના દર્દીઓ પર આ ક્‍લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્‍યું હતું અને પરિણામમાં જાણવા મળ્‍યું હતુંકે, દવા આપ્‍યા પછી ડોક્‍ટરોને ૧૮ દર્દીઓના શરીરમાં કેન્‍સરના કોઈ લક્ષણો જોવા મળ્‍યા ન હતા. જો કે ૧૮ દર્દીઓના આ સેમ્‍પલનું કદ નાનુંછે, પરંતુ તેમ છતાંતેના પરિણામોને આ જીવલેણ રોગની સારવારની દિશામાંબદલાતો ખેલ માનવામાં આવી રહ્યો છે અને આ દવાનો ઉપયોગ કેન્‍સરની બિમારીની સારવાર માટે થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે.

(10:26 am IST)