Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ચાણક્યના એક્ઝિટ પોલમાં બિહારમાં તેજસ્વી યાદવના મહાગઠબંધનને 180 થી 200 બેઠકો : ઇતિહાસ રચાશે

નવી દિલ્હી : આજે ચાણક્યના એક્ઝિટ પોલમાં બિહારમાં આરજેડી પક્ષના તેજસ્વી યાદવ ઇતિહાસ રચવા આગળ ધપી રહ્યા નું દર્શાવાયું છે. કોંગ્રેસ સાથેનો તેમનો મહાગઠબંધન મોરચો ૨૪૩ કુલ બેઠકોમાંથી લગભગ 180 થી 200 ની નજીક બેઠકો મેળવી રહેલ છે. ભાજપ અને નીતીશકુમારના પક્ષ 55 આસપાસ બેઠકો સાથે લગભગ સાફ થઈ જશે તેવું આ એક્ઝિટ પોલનું તારણ છે. ૧૦મીએ મંગળવારે મતગણત્રી થશે. આજે મતદાન પૂર્ણ થયું. લગભગ તમામ એક્ઝિટ પોલમાં તેજસ્વી યાદવ ના મહાગઠબંધનને બહુમતી મળી રહ્યાનું દર્શાવાયું છે.

(9:52 pm IST)