Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

પુલ નીચે ફીટ કરાયેલ આઇ ઇડીને નિષ્ક્રીય કરાઇ

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આતંકી ષડયંત્ર નાકામ

જમ્મુ : કાશ્મીરના કુપાવડા જીલ્લામાં સુરક્ષા દળોએ આંતકી ષડયંત્ર નાકામ કર્યુ છે. અરામપોરામાં સોપોર-કુપવાડા પુલ નીચે આતંકીઓએ વિસ્ફોટ લગાડ્યા હતા.

સીઆરપીએફ અને સેનાને આ અંગે માહિતી મળતા બોંબ સ્કોવડને સાથે રાખી ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ બોંબ સ્કોવેડે વિસ્ફોટ નિષ્ક્રીય કરેલ. એસએસપી કુપવાડાના જણાવ્યા મુજબ સોપેર-કુપવાડા રોડ ઉપર એક જગ્યાએ આઇઇડી નાખવામાં આવેલ જેને નિષ્ક્રીય કરવામાં આવી છે.

(1:14 pm IST)