Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

શ્રીનગરઃ હોસ્પિટલ પર ત્રાસવાદી હુમલોઃ સાથીદારને છોડાવી આતંકીઓ ફરાર

પાક. આતંકી નાવિદને છોડાવવા માટે પહોંચેલા આતંકી - પોલીસ વચ્ચે ગોળીબાર થયો

નવી દિલ્હી તા. ૬ : કાશ્મીરની રાજધાની શ્રીનગરના શ્રી મહારાજા હરિ સિંહ હોસ્પિટલની અંદર આતંકવાદીઓએ હુમલો કરી એક પાકિસ્તાની આતંકવાદી નાવીદને છોડાવી લીધો. પાકિસ્તાની આતંકવાદી નાવીદને છોડાવવા માટે પહોંચેલા આતંકવાદીઓ અને પોલીસની વચ્ચે ગોળીબાર થયો છે. આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા છે. તેમાંથી એકની સ્થિતિ ગંભીર છે.

સૂત્રોએ કહ્યું કે આ પોલીસકર્મી પાકિસ્તાની આતંકવાદી નાવીદને તપાસ માટે હોસ્પિટલ લઇને આવ્યા હતા. આ દરમ્યાન તેના સાથીઓએ પોલીસબળ પર હુમલો કરી દીધો. અચાનક થયેલા હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા. તેમાંથી એકની સ્થિતિ ગંભીર છે. હોસ્પિટલ લાવામાં આવેલા આ આતંકવાદી શ્રીનગર સેન્ટ્રલ જેલમાં બંધ હતો. સેના અને પોલીસ એ આતંકવાદીઓની શોધખોળનું અભિયાન શરૂ કરી દીધું છે. પોલીસવાળા ચેકઅપ માટે ૬ આતંકીઓને મહારાજા હરિ સિંહ હોસ્પિટલ લાવ્યા હતા. અચાનક જ કેટલાંક આતંકીઓએ પોલીસવાળાઓ પર ફાયરિંગ શરૂ કરી દીધું, બંને તરફથી ગોળીબાર થયો ગોળીબારનો ફાયદો ઉઠાવી પાકિસ્તાની આતંકી નાવીદ ભાગવામાં સફળ રહ્યો ૨૦૧૪મી નાવીદની ધરપકડ કરાઇ હતી. શ્રીનગરની સેન્ટ્રલ જેલમાં નાવીદ બંધ હતો.

(5:39 pm IST)