Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર કહી શકાય,પણ ડરવાની જરૂર નથી, સરકારની સ્થતિ પર ચાંપતી નજર : કેજરીવાલ

ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર યુક્ત ICU બેડની અછતનો ઉકેલ પણ એક બે દિવસમાં

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, રાષ્ટ્રીય રાજધાનીમાં છેલ્લા થોડાં દિવસોમાં કોરોનાના નવા કેસોમાં વૃદ્ધિ જોવા મળી છે અને તેને મહામારીની ત્રીજી લહેર કહી શકાય છે. તેમણે ઉમેર્યું કે, પરંતુ ડરવાની જરૂર નથી અને સરકાર સ્થિતિ પર સતત નજર રાખેલી છે. શહેરમાં કોરોનાના દર્દીઓ માટે બેડની અછત નથી. જો કે કેટલીક ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર યુક્ત ICU બેડની અછત છે. તેનો ઉકેલ પણ એક બે દિવસમાં કરી લેવામાં આવશે.

(10:17 pm IST)