Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

શહેરમાં બપોર સુધીમાં વધુ ૧૬ રિપોર્ટ પોઝિટિવ

કુલ કેસનો આંક ૮૭૧૦એ પહોંચ્યોઃ ગઇકાલે ૬૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા આજ દિન સુધીમાં ૮૧૨૫ લોકો સાજા થયાઃ રિકવરી રેટ ૯૩.૪૫ ટકા થયો : સ્વાતિ સોસાયટી- કાલાવડ રોડ, નંદુ બાગ - સંત કબીર રોડ, રાજારામ સોસાયટી - સંત કબીર રોડ, કરણ પાર્ક - એસ્ટ્રોન સોસાયટી , યોગેશ્વર સોસાયટી - એરપોર્ટ રોડ, ભગવતી પરા સહિતના નવા ૬વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર

રાજકોટ તા.૪: શહેરમાં છેલ્લા સપ્તાહથી  કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં માત્ર ૧૬ પોઝીટીવ કેસ આવ્યા છે.  જયારે એપ્રિલથી આજ દિન સુધીમાં કુલ સાડા આઠ હજારથી વધુ દર્દીઓ કોરોનાની ઝપટે ચડયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૬ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૮૭૧૦  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૮૧૨૫ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૩.૪૫ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૧૨૧  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૪૧ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૩૧ ટકા થયો  હતો. જયારે ૬૧  દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  સાત  મહિનામાં એટલે કે એપ્રિલ થી આજ દિન સુધીમાં ૩,૫૫,૧૧૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૮૭૧૦ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૪૪  ટકા થયો છે.

નવા ૬ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે  સ્વાતિ સોસાયટી- કાલાવડ રોડ, નંદુ બાગ - સંત કબીર રોડ, રાજારામ સોસાયટી - સંતકબીર રોડ, કરણ પાર્ક - એસ્ટ્રોન સોસાયટી , યોગેશ્વર સોસાયટી - એરપોર્ટ રોડ, ભગવતી પરા સહિતના નવા ૬ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૩૫ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

૩૨ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૭ લોકોને તાવ-શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૩૨,૧૬૮  ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૭  વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે  રેલનગર, બજરંગવાડી, મચ્છુનગર, સોમનાથ, ગીતાનગર, મનહર નગર, આકાશદીપ સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૩૨૧  લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:30 pm IST)