Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

અભયભાઈની તબિયત સુધારા ઉપર : ઈકમો ઘટાડી દેવામાં આવ્યો : નીતિન ભારદ્વાજ ચેન્નાઈ પહોંચ્યા

ગુજરાતના રાજયસભાના સભ્ય અને રાજકોટ સૌરાષ્ટ્રના અગ્રીમ હરોળના ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજની ચેન્નઈ ખાતેની હોસ્પિટલમાં તબિયત સુધારા ઉપર અને રીકવરી ખૂબ સારી હોવાનું જાણવા મળે છે : તેમના ફેફસાને કાર્યરત રાખવા માટે તથા ઈકમો મશીન  લગાવવામાં આવ્યુ છે : તેનો સપોર્ટ પણ ધીમે ધીમે ઓછો કરવામાં આવી રહ્યાનું જાણવા મળે છે : દરમિયાન તેમના નાનાભાઈ અને સૌરાષ્ટ્ર ભાજપના અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ લીમડી ખાતેની પેટાચૂંટણીની જવાબદારી પૂર્ણ કરી આજે ચેન્નાઈ પહોંચી ગયા છે

(1:16 pm IST)