Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

કેન્‍દ્રના કૃષિ કાનૂન વિરોધમાં રાજસ્‍થાન વિધાનસભામાં ૩ વિધેયક પસાર : હવે રાજયપાલને મોકલાવશે

નવી દિલ્‍હી : રાજસ્‍થાન વિધાનસભામાં ગઇકાલે કેન્‍દ્રના કૃષિ કાયદાના વિરોધમાં ત્રણ ખરડા પસાર કરવામાં આવ્‍યા છે. જો કે ખરડા પસાર થતા ભાજપે સદનમાંથી નિકળી થઇ ખરડા સામે વિરોધ નોંધાવેલ છે.

હવે તમામ ખરડા રાજયપાલ કલરાજ મિશ્રાની મંજુર માટે મોકલાશે. રાજયના સંસદીય કાર્યાલય મંત્રી ધારીવેલે જણાવેલ છે કે ભૂમિ કાયાદની જેમ જ આ ત્રણેય કૃષિ કાનૂનો પણ પરત ખેંચવા પડશે.

(12:00 am IST)