Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

અભિનેત્રી મનિષા યાદવનું બ્રેન હેમરેજ થતાં અવસાન

જોધા અકબર સિરિયલમાં ભૂમિકા નિભાવી હતી : જોધા અકબરમા મુખ્ય ભૂમિકા ભજવનારી પરિધિ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર દિવંગત અભિનેત્રીની તસવીર શેર કરી

મુંબઈ, તા. : બ્રેન હેમરેજ થતાં એક્ટ્રેસ મનિષા યાદવે શુક્રવારે અંતિમ શ્વાસ લીધા હતા. સાવ નાની ઉંમરે તેનું આમ અચાનક ચાલ્યા જવું તે પરિવાર તેમજ મિત્રો માટે આંચકાસમાન છે. મનિષા યાદવ ટીવી શો જોધા અકબરમાં પોતે ભજવેલા પાત્ર માટે જાણીતી હતી. એક્ટ્રેસ પરિધિ શર્મા કે જે તેણે જોધા અકબરમા મુખ્ય ભૂમિકા ભજવી હતી તેણે ઈન્સ્ટાગ્રામ પર દિવંગત એક્ટ્રેસની તસવીર શેર કરીને શોક વ્યક્ત કર્યો હતો.

પરિધિ શર્માનો સંપર્ક કર્યો તો તેણે જણાવ્યું કે શો ઓફ-એર થયા બાદ હું સતત તેના સંપર્કમાં નહોતી. પરંતુ અમારું એક વોટ્સએપ ગ્રુપ છે, જેનું નામ મુગલ છે અને શોમા જે બેગમ બની હતી તે તમામ એક્ટ્રેસિસ ગ્રુપનો ભાગ છે. તેથી, રીતે અમે સંપર્કમાં રહીએ છીએ. જો કોઈના જીવન અંગે શેર કરવાનું મહત્વનું લાગે તો ગ્રુપમાં કહીએ છીએ . મને ગ્રુપ થકી ગઈકાલે તેના નિધનની જાણ થઈ હતી અને મને આંચકો લાગ્યો હતો'.

પરિધિએ ઉમેર્યું મનિષા સાથે કામ કરવાની મજા આવતી હતી. તેની એનર્જી હંમેશા વધારે રહેતી હતી અને વાતોડી હતી. શો માટે સાથે શૂટિંગ કરવાના સમયને અમે માણ્યો હતો. મને યાદ છે તે જીવનને મન ભરીને જીવતી હતી. જ્યારે મેં તેના નિધનના સમાચાર સાંભળ્યા ત્યારે મને ખરેખર દુઃખ થયું હતું અને તેનો દીકરો હજી એક વર્ષનો છે તે વાત મને વધારે પરેશાન કરી રહી છે. મારું દિલ તેના પરિવારની સાથે છે.

મનિષા યાદવનો દીકરો જૂન મહિનામાં એક વર્ષનો થયો હતો, જેના બર્થ ડેનું સેલિબ્રેશન તેણે ધામધૂમથી કર્યું હતું અને તસવીરો પણ શેર કરી હતી. તેની સાથે લખ્યું હતું મારા કિંમતી બાળકને પહેલા જન્મદિવસની શુભેચ્છા. મારા નાનકડા દીકરા તું સાચેમાં કપરા વર્ષમાં મારા જીવનમાં પ્રકાશ બનીને આવ્યો છે. તારી મમ્મી બની તે માટે આભારી છું. આઈ લવ યુ સો મચ. જૂન મહિનામાં એક્ટ્રેસે કોવિડ-૧૯ની રસીનો પહેલો ડોઝ લીધો હતો. તેની પણ તસવીર તેણે શેર કરી હતી અને લખ્યું હતું આભારે આજે કોવિડ-૧૯ની રસીનો પહેલો ડોઝ લઈ લીધો...ખુશી છે કે તે વધારે વાગી નહીં...જલ્દીમાં જલ્દી રસી લઈ લો. આપણે સ્થિતિમાં સાથે છીએ.

(8:09 pm IST)