Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ક્‍લાસમાં વિદ્યાથીઓને ભણાવી રહેલા શિક્ષક અચાનક જ ઢળી પડ્‍યાહાર્ટએટેકનાં કિસ્‍સાઓ દિવસને દિવસે વધી રહ્યાં છેઃ કોઈ રોગ ન હોય કે કોઈ બિમારીનો ભોગ પણ બન્‍યા ન હોય તેમ છતાં અચાનક હાર્ટએટેકથી મોતનાં બનાવો વધી રહ્યાં છે : વિદ્યાર્થીઓને ભણાવતી વખતે શિક્ષકને છાતીમાં દુખાવો ઉપડયો હતો

પટણા,તા. ૨: બિહારનાં ભોજપુર જિલ્લામાં આવેલા પલિયા ગામમાં હાર્ટએટેકને કારણે એક શિક્ષકનું મોત થયુ હતું. ક્‍લાસરૂમમાં ભણાવતી વખતે અચાનક જ શિક્ષકને છાતીમાં દુખાવો ઉપડ્‍યો હતો અને જોતજોતામાં જ વિદ્યાર્થીઓની સામે જ શિક્ષક ઢળી પડ્‍યા હતા. સ્‍કૂલમાં જ શિક્ષકનું મોત થતાં અફરાતફરી મચી ગઈ હતી. જાણકારી મુજબ, જગદીશપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલા કકિલાગામમાં રહેતા કૃષ્‍ણકુમાર સાહના પુત્ર અનિલકુમાર સરકારી સ્‍કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જગદીશપુરમાં આવેલા પાલિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના તેઓ શિક્ષક હતા.ક્‍લાસમાં વિદ્યાર્થીઓને અનિલ કુમાર ભણાવી રહ્યાં હતા ત્‍યાં જ તેઓ અચાનક ઢળી પડ્‍યા હતા.

મૃતકનાં પિતા કૃષ્‍ણકુમાર સાહે આ અંગે જણાવ્‍યું હતું કે, દરરોજની જેમ જ મંગળવારે પાલિયગામની સ્‍કૂલમાં અનિલકુમાર ભણાવવા ગયા હતા. અચાનક જ તેમની તબિયત સ્‍કૂલમાં બગડી હતી. છાતીમાં દુખાવો ઉપડતા તેઓ ક્‍લાસમાં જ ઢળી પડ્‍યા હતા. કૃષ્‍ણકુમારે વધુમાં જણાવ્‍યું હતું કે, તેમને આ અંગેની જયારે ખબર પડી ત્‍યારે તેઓ સ્‍કૂલમાં પહોંચ્‍યા હતા. સ્‍કૂલમાં જ તેમના શ્વાસ બંધ થઈ ગયા હતા તેમ છતાં તેમને જગદીશપુર રેફરલ હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા હતા, જયાં ફરજ પરના ડોક્‍ટરે તેમને શિક્ષકને મૃત ઘોષિત કર્યા હતા.

આ અંગે પોલીસ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં અનિલકુમારનું મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્‍યું છે. જોકે જયારે પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ આવશે ત્‍યારે જ સાચુ કારણ જાણવા મળશે. મૃતક અનિલકુમાર ૨૦૦૪માં જગદીશપુરના મહટાટીગામ સ્‍થિત પ્રાથમિક વિદ્યાલયમાં શિક્ષક તરીકે કામે લાગ્‍યા હતા. ત્‍યાર બાદ તેમની બદલી ૨૦૦૬માં પલિયાગામની પ્રાથમિક શાળામાં થઈ હતી.

ગુજરાતમાં હાર્ટએટેકના કિસ્‍સાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. નવરાત્રીમાં ગરબા રમતા યુવકનું આવી રીતે અચાનક મોત થયું હતું, જયારે રાજકોટમાં વિદ્યાર્થિનીનું પણ થયું હતું. થોડા દિવસો પહેલા જ ફૂટબોલ રમતા યુવકનું પણ અચાનક મોત થયું હતું.

(10:59 am IST)