Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

નૈનીતાલમાં કાર ખીણમાં ખાબકી : અકસ્માતમાં નડીયાદના દંપતિનું મોત

ઉત્તરાખંડના નૈનીતાલમાં ચાર લોકોના મોત થયા છે, જેમાં નડીયાદનું જાણીતુ તબીબ દંપતિ તેમના સાળા અને તેમની પત્નિનું મોત નિપજ્યુ છે : પ્રાપ્ત માહિતી મુજબ આ અકસ્માત ઉત્તરાખંડના નૈનીતાલમાં થયો છે : જેમાં ગુજરાતનો એક પરિવાર નૈનીતાલ હિલસ્ટેશન પર રજા મનાવવા ગયો હતો : કારમાં ૬ લોકો સવાર હતા : આ બનાવ ત્યારે બન્યો જયારે ઈટીંગા કાર ચલાવી રહેલા ડ્રાઈવરે કાર પરથી કન્ટ્રોલ ગુમાવ્યો હતો, અને કાર રામનગર વિસ્તારમાં આવેલ બાલુ સુંદરી મંદિર પાસે આવેલી ઈરીગેશન કેનાલમાં ખાબકી હતી, બીજા કારમાં સવાર અન્ય નડીયાદનું તબીબ દંપતિ અકસ્માતમાં મૃત્યુ પામનાર તબીબ દંપતિ ડો.શાંતિસ્વરૃપ ક્ષત્રી અને તેમના પત્નિ ક્રિષ્નાબેન નડીયાદના વતની છે : તેઓ નડીયાદના નાના કુંચનાથ રોડ પર હોસ્પિટલ ધરાવે છે : આ દંપતિ ૨૫ તારીખે કાશીપુર જવા રવાના થયુ હતું : ૨૭ તારીખે તેમના સાળા તેજપ્રકાશ અરોરાના નવા મકાનનું મુહૂર્ત હતું : જેમાં આખો પરીવાર હાજર રહ્યો હતો : આ અકસ્માતમાં મૃત્યુ પામનાર અન્ય દંપતિ તેમના સાળા અને તેમની પત્નિ છે : અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ ચંચલ મદન હાલ આઈસીયુમાં છે : સંબંધીઓ તાત્કાલીક સ્થાનિક લોકોને જાણ કરી હતી, જેને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, અને કારને રેસ્કયુ કરવા મદદ કરી હતી : આ આકસ્માતમાં એક વ્યકિતને સલામતીપૂર્વક બહાર કઢાઈ હતી : આ અકસ્માતમાં ૪ લોકોના મોત નિપજ્યા હતા : જેમાં ડો. શાંતિસ્વરૃપ ક્ષત્રી અને તેમના પત્નિ ક્રિષ્નાબેન છે : જેઓ નડીયાદના વતની છે જયારે કે અન્ય મૃતકમાં પ્રકાર અરોરા અને રશ્મી અરોરા છે, જેઓ કાશીપુરના વતની છે.

(6:30 pm IST)