Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

સુપ્રસિદ્ધ કથાકાર જીજ્ઞેશ દાદાએ કોરોનાને હરાવ્યો

વિખ્યાત કથાકાર જીજ્ઞેશદાદાને ચાર દિવસ પહેલા કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેઓને સુરતની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તબિયતમાં ઘણો સુધારો હોય ફરીવાર સાંજે કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટીવ આવતા દાદાના ચાહકોમાં આનંદ છવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે આજે અનેક ગામોમાં બ્રાહ્મણો દ્વારા તેમની તબીયત જલદી સારી થાય તે માટે યજ્ઞ  તેમજ પાઠ કરવામાં આવ્યા હતા. ભાવિકોએ મૃત્યુંજયના જાપ કર્યા હતા. સાવરકુંડલા અને આસપાસના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા જીગ્નેશ દાદાની તંદુરસ્તી માટે જપ કર્યા છે. (વિજય વસાણી)

(10:00 pm IST)