Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

સુશાંત સિંહ રાજપૂત કેસ: અભિનેત્રી રિયા ચક્રવર્તીને કોર્ટમાંથી રાહત, વિદેશ જવાની મંજૂરી

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસઃ અભિનેત્રી રિયા ચક્રવર્તીને મુંબઈ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે તેને વિદેશ જવાની મંજૂરી આપી છે.

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ સાથે સંબંધિત ડ્રગ્સ કેસમાં આરોપી અભિનેત્રી રિયા ચક્રવર્તીને મુંબઈની એક કોર્ટમાંથી રાહત મળી છે.  કોર્ટે તેને વિદેશ જવાની શરતી  મંજૂરી આપી છે.  કોર્ટે કહ્યું કે અભિનેત્રીએ અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસમાં દરરોજ હાજરી આપવી પડશે અને ૬ જૂને કોર્ટમાં હાજરીપત્રક રજૂ કરવું પડશે.  આ સાથે તેમણે વધારાની સુરક્ષા તરીકે કોર્ટની રજિસ્ટ્રીમાં ૧ લાખ રૂપિયા જમા કરાવવા પડશે.

(3:51 pm IST)