Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

રાષ્‍ટ્રપતિ પરિવારે મહાકાલના દર્શન- પૂજન કર્યાઃ પં.ઘનશ્‍યામજી શર્માએ પૂજન કરાવ્‍યું

ઉજજૈનઃ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ અને પરિવારે ૨૯ મેના રોજ  ભગવાન શ્રી મહાકાલેશ્વરની પૂજા કરી હતી. રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ, પત્‍ની શ્રીમતી સવિતા કોવિંદ, અને પુત્રી શ્રીમતી સ્‍વાતિ કોવિંદ સાથે શ્રી મહાકાલેશ્વર મંદિરની મુલાકાતે આવ્‍યા હતા અને વિધિવત ભગવાન મહાકાલની પૂજા કરી હતી.પૂજાવિધિ પંડિત ઘનશ્‍યામજી શર્મા અને અન્‍ય પૂજારીઓ દ્વારા કરવામાં આવી હતી. મુખ્‍ય પૂજારી પૂજય ઘનશ્‍યામજી મહારાજ અકિલા પરિવારની મુલાકાતે આ પૂર્વે આવી ગયા હતા અને રસપ્રદ મુલાકાત આપી હતી. રાજ્‍યપાલ મંગુભાઈ પટેલ, મુખ્‍યમંત્રી  શિવરાજસિંહ ચૌહાણ અને શ્રીમતી સાધનાસિંહ ચૌહાણે હાજરી આપી હતી.આ પ્રસંગે સંસ્‍કળતિ અને પર્યટન મંત્રી ઉષા ઠાકુર પણ હાજર હતા.

 

(10:48 am IST)