Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

‘મારા વિરૂધ્‍ધ ખોટા આક્ષેપો કર્યા તો...'

આસામના મુખ્‍યમંત્રીની કેજરીવાલને ચેતવણી આપતા કહયુ મારા વિરૂધ્‍ધ ભ્રષ્‍ટાચારનો એક પણ કેસ નથી

ગૌહતીઃ દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે આસામમાં રેલી કરવાના છે. તેમની રેલી પહેલા જ આસામના મુખ્‍યમંત્રી હિમંત બિસ્‍વા સરમાએ કેજરીવાલને ચેતવણી આપતા  કહયુ છે કે જો કેજરીવાલે તેમની સામે કોઇ ખોટા આક્ષેપો કર્યા તો તે તેમની વિરૂધ્‍ધ કેસ કરશે. હિમંત સરમાનું આ સ્‍ટેટ અરવિંદ કેજરીવાલે દિલ્‍હી વિધાનસભામાં આપેલ નિવેદન પછી આવ્‍યુ છે જેમાં તેમણે કહયુ હતુ કે હિંમત બિસ્‍વા સરમા સામે ઘણા રાજયોમાં કેસ નોંધાયેલ છે.

સરમાએ કેજરીવાલ પર ભડકતા કહયુ કે મારા વિરૂધ્‍ધ ભ્રષ્‍ટાચારનો એક પણ કેસ નથી નોંધાયેલ. હું તેમને પડકાર ફેંકુ છુ કે તે મારા વિરૂધ્‍ધ એક પણ કેસ હોય તો બતાવે. તેમણે કહયુ કે મેં માનહાનિનો કોઇ કેસ નથી નોંધાવ્‍યો. હું માનહાનિનો કેસ કરવા માંગુ છું. પણ કેજરીવાલે કાયરની જેમ વિધાનસભામાં બોલ્‍યા હતા. એટલે હવે તેમને ર એપ્રિલે આસામ આવવા દો અને કહેવા દો કે હિંમત સરમા સામે કેસ છે પછી હું તેના પર કેસ કરીશ.

આસામના સીએમએ કહયુ કે દેશના કોઇપણ ભાગમાં તેમની સામે કોઇ કેસ નથી. મારા વિરૂધ્‍ધ એક જ શબ્‍દ બોલો કે હું ભ્રષ્‍ટ છું અને બીજા જ દિવસે હું માનહાનીનો કેસ કરીશ. મનીષ સીસોદીયા સામે મેં તેમજ કર્યુ હતું.

(4:02 pm IST)