Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કતારના દોહા જતી ફ્લાઈટનું કરાંચીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની નોબત આવી

નવી દિલ્હી: ઈન્ડિગોની એરલાઇન્સની કતારના દોહા જતી એક ફ્લાઇટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. માહિતી અનુસાર એક મેડિકલ ઈમરજન્સીને કારણે નિર્ણય લેવાયો હતો. ઈન્ડિગો એરલાઇન્સે માહિતી આપી હતી. એરલાઇન્સે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે બીમાર પડી ગયેલા એક વ્યક્તિને એરપોર્ટ પર મેડિકલ ટીમે મૃત જાહેર કરી દીધો છેસૂત્રો અનુસાર તે નાઈજિરિયાનો નાગરિક હતો. ઈન્ડિગોએ મામલે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે અહેવાલથી અમે દુઃખી છીએ. અમારી પ્રાર્થનાઓ અને સંવેદનાઓ પીડિતના પરિવાર સાથે છે. હાલ અમે સંબંધિત અધિકારીઓ સાથે કોઓર્ડિનેશન કરીને વિમાનના અન્ય યાત્રીઓ માટે વ્યવસ્થા કરી રહ્યા છીએ જેથી તેમને તેમના લક્ષ્ય સુધી પહોંચાડી શકાય

 

(6:27 pm IST)