Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

વરાછામાં શ્રમજીવી યુવાનને માર મારી મોબાઈલની ચીલઝડપ

સુરત: વરાછા ફૂલ માર્કેટથી ઉમિયાધામ મંદિર વચ્ચેના રોડ ઉપર ગતરાત્રે સાયકલ ઉપર જતા શ્રમજીવી યુવાનને અટકાવી એકટીવા ઉપર આવેલા ત્રણ યુવાનોએ મોબાઈલ ફોન ઝૂંટવા પ્રયાસ કર્યો હતો. શ્રમજીવી યુવાને પ્રતિકાર કરતા તેને ચપ્પુ મારી ત્રણેય મોબાઈલ ફોન લૂંટી ફરાર થઈ ગયા હતા. પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, વરાછા કમલપાર્ક સોસાયટી ઘર નં. ૧૪૧ ના બીજા માળે રહેતો ૨૨ વર્ષીય વિજય હરીશભાઈ ચૌહાણ ધાગા કટીંગનું મજૂરીકામ કરે છે. ગતરાત્રે .૩૦ વાગ્યે તે પોતાની સાયકલ ઉપર વરાછા ફૂલ માર્કેટથી ઉમિયાધામ મંદિર વચ્ચેના રોડ ઉપરથી પસાર થતો હતો ત્યારે એકટીવા ઉપર આવેલા ૨૦ થી ૨૫ વર્ષના ત્રણ અજાણ્યાએ એકટીવા આડુ કરી તેની સાયકલ અટકાવી હતી. ત્રણ પૈકી એકે વિજયના શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢવા પ્રયાસ કરતા વિજયે તેનો હાથ પકડી લીધો હતો. આથી ઉશ્કેરાયેલા ત્રણેય પૈકી એકે વિજયના ડાબા ખભામાં અને પીઠમાં ચપ્પુ માર્યું હતું અને મોબાઈલ ફોન લૂંટી એકટીવા ઉપર ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત વિજયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

(4:29 pm IST)