Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

10 ઓગસ્ટ સુધી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આપે રાજીનામું: કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી

. કોંગ્રેસના નેતાઓએ આ ઘટનાની તટસ્થ તપાસ કરી આરોપીને સજા આપવામાં આવે તેવી માગ કરી

અમદાવાદ : બરવાળા પોટલીકાંડના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ બોટાદમાં ધરણા કર્યા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી ચીમકી ઉચ્ચારી. જગદીશ ઠાકોરે કહ્યું કે 10 ઓગસ્ટ સુધીમાં ગૃહ રાજ્યમંત્રી રાજીનામુ નહીં આપે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે. કોંગ્રેસના નેતાઓએ આ ઘટનાની તટસ્થ તપાસ કરી આરોપીને સજા આપવામાં આવે તેવી માગ કરી. ગીતા પટેલે પોલીસ વિભાગ સામે પણ આક્ષેપ કર્યા અને કહ્યું કે અહીં જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ છે તેનું નાર્કોટેસ્ટ કરાવો તો ખબર પડશે હકકિત શું છે.

(12:50 am IST)