Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

તાલુકા હેલ્થ ઓફિસ દસક્રોઈ દ્વારા ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહારની કીટનું વિતરણ કરાયું

નાંદેજ અને જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેતા 48 ટી.બી દર્દીઓને પોષણયુક્ત આહારની કીટનું વિતરણ

વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : તાલુકા હેલ્થ ઓફિસ દસક્રોઈના પ્રયાસ દ્વારા એર કન્ટ્રોલ એન્ડ કેમિકલ કંપની  દ્વારા નાંદેજ અને જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેતા 48 ટી.બી દર્દીઓને પોષણયુક્ત આહારની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ જિલ્લાના જિલ્લા ક્ષય અધિકારી ડો.કાર્તિક શાહ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.દિનેશ પટેલ , એર કન્ટ્રોલ  કંપનીનિ માલિક  રાજવીર ડાગા, તથા અધિકારી સંજયભાઈ તિવારી દ્વારા ટી.બીના દર્દીઓને પોષણક્ષમ  કિટ વિતરણ કરવામાં આવ્યું હતું. આવનાર  દિવસોમાં દસક્રોઈ તાલુકાના તમામ ટી.બી દર્દીઓને વિવિધ કંપનીનીના પ્રયાસ દ્વારા પહોંચાડવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

(10:49 pm IST)