Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

અમદાવાદ સહીત નગરોમાં વકરતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1012 નવા કેસ નોંધાયા:વધુ 954 દર્દીઓ સાજા થયા:આજે બે દર્દીઓના મૃત્યુ થયા :કુલ મૃત્યુઆંક 10,969: કુલ 12.36.985 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 6.47.663 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 6274 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 1012 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 954 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.36.985 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી બે દર્દીનું મૃત્યુ થયું છે, અમદાવાદ કોર્પોરેશનમાં બે દર્દીઓના મૃત્યુ થયા છે,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.969 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.63 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 6.47.663 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.62.08.356 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 6274 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 12 દર્દી વેન્ટિલેટર પર છે,અને 6262 દર્દીઓ સ્ટેબલ છે .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 1012 કેસમાં અમદાવાદ કોર્પોરેશન 312 કેસ,મહેસાણામાં 99 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 79 કેસ, કચ્છમાં 52 કેસ, સુરત કોર્પોરેશનમાં 48 કેસ,વડોદરામાં 44 કેસ, ગાંધીનગરમાં 31 કેસ,સાબરકાંઠામાં 30 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 28 કેસ, અમરેલી અને સુરતમાં 27-27 કેસ,રાજકોટ કોર્પોરેશનમાં 23 કેસ,ભાવનગર કોર્પોરેશનમાં 22 કેસ, બનાસકાંઠામાં 19 કેસ, પાટણ અને રાજકોટમાં 18-18 કેસ,પોરબંદરમાં 17 કેસ, મોરબી અને નવસારીમાં 14-14 કેસ, ભરૂચમાં 13 કેસ, આણંદ અને વલસાડમાં 10-10 કેસ,જામનગર કોર્પોરેશન અને સુરેન્દ્રનગરમાં 9-9 કેસ, અમદાવાદમાં 8 કેસ, ખેડામાં 7 કેસ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પંચમહાલ અને તાપીમાં 4-4 કેસ, બોટાદમાં 3 કેસ, જામનગરમાં 2 કેસ, અરવલ્લી, ભાવનગર અને ડાંગમાં 1-1 કેસ નોંધાયો છે,

 

(7:29 pm IST)