Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

અમદાવાદમાં નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર યુવાને મોતની છલાંગ લગાવતા પરિવારની માથે આભ ફાટ્યું

ગાંધીનગર :  અમદાવાદમાં રહેતો યુવાન વકિલ ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી ગયો હતો બે દિવસ બાદ તેનું બાઇક અને મોબાઇલ નભોઇ નર્મદા કેનાલ પાસે મળી આવતા પરિવારજનોને બોલાવી પોલીસે બહિયલના તરવૈયા મારફતે કેનાલમાં તપાસ કરાવી હતી ભારે જહેમતબાદ આ તરવૈયાઓએ આ વકિલ યુવાનનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યો હતો જે પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

અમાદાવાદના કુબેરનગરમાં રહેતો ૩૩ વર્ષિય યુવાન વિનોદભાઇ કનુભાઇ મકવાણા કે જે વકિલાતના વ્યવસાય સાથે સંકળાયેલો હતો તે બે દિવસ પહેલા ઘરેથી કોઇને કંઇ પણ કહ્યા વગર નિકળી ગયો હતો વિનોદભાઇ ઘરે નહીં આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને શોદખોળ શરૃ કરી હતી.એ દરમિયાન નભોઇ નર્મદા કેનાલ પાસે બાઇક અને માોબાઇલ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા જે અંગે ઇન્ફોસિટી પોલીસ કેનાલ ઉપર પહોંચી ગયા હતા અને આ મોબાઇલના આધારે પરિવારજનોને જાણ કરીને બોલાવી લેવામાં આવ્યા હતા આ વિસ્તારમાં બહિયલના તરવૈયાઓને બોલાવીને કેનાલમાં શોધખોળ શરૃ કરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ કેનાલમાંથી વિનોદભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો જેને બહાર કાઢીને પોલીસે આ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને વધુ તપાસ આદરી છે.

(7:24 pm IST)