Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

સી.આર.પાટીલે આપ પર કર્યા પ્રહાર : કહ્યું -ગાંઘીનગરમાં મેયર બનાવવાની વાત કરતી હતી પરંતુ એક જ ઉમેદવાર જીતી શકયો

આવનાર વિઘાનસભાની ચૂંટણીમાં પણ ગુજરાતના કાર્યકરોએ જે લક્ષ રાખ્યું છે તે પુરુ કરીશું. તેવો વિશ્વાસ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને આપ્યો

અમદાવાદ : ભાજપા ગુજરાત પ્રદેશ દ્વારા કર્ણાવતીના ગુજરાત યુનિવર્સિટી કન્વેકશન હોલ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યુ કે, આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં મેયર બનાવવાની વાત કરતી હતી તેમનો એક જ ઉમેદવાર જીતી શક્યો, આગામી વિધાનસભામાં 182 સીટો પર આપ પાર્ટી લડવા જઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને સીઆર પાટીલે શાબ્દિક પ્રહાર આપ પાર્ટી પર કર્યા હતા.

રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત પ્રવાસે છે. કોરોનાની મહામારીમાં ગુજરાત ભાજપના કાર્યકરોએ કરેલા કાર્યોની માહિતી આપી. જેમા કોરોના સમયે ગુજરાતના કાર્યકરો ઘરે બેસવાની જગ્યાએ તેમના વિસ્તારમાં જઇ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા અને 17 હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ આઇસેલોસેશન સેન્ટરમાં ભાજપના ડોકટરોએ કોરોનાનો ડર દુર કરી જનતાની સેવા કરી. દર્દીઓ માટે ઓક્સિજનની અને ભોજનની વ્યવસ્થા કરી હતી તે બદલ દરેક કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. ચૂંટણી સમયે 9 વિધાનસભા કોંગ્રેસની હતી તે બેઠકોમાં ભાજપના ઉમેદવારોએ કાર્યકરોની તાકાતથી જીત મેળવી લીધી. 7 મહાનગર પાલિકા જીતવામાં પણ સફળ થયા છીએ.

 

(11:53 pm IST)