Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

SGVP ગુરુકુલના યજ્ઞ-અનુષ્ઠાન પ્રિય, અ.નિ.પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજીની પવિત્ર સ્મૃતિમાં, માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસપદે, ગઢડા ગોપીનાથજી

મહારાજની સાનિધ્યમાં, દરબાર ગઢમાં, સત્સંગિજીવન કથા પારાયણ

અમદાવાદ તા. ૩૦ SGVP ગુરુકુલના યજ્ઞ અનુષ્ઠાન પ્રિય, પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી ધામમાં જતા તેમની પવિત્ર સ્મૃતિમાં તા. ૨-૫-૨૦૨૨ સોમવારથી ૮-૫-૨૦૨૨ રવિવાર સુધી, સવારે ૯ થી ૧૧:૩૦ અને સાંજે ૪ થી ૬:૩૦ દરમ્યાન ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસ પદે સત્સંગિજીવનની કથા રાખવામાં આવેલ છે.

તા.૨ સોમવારે પોથીયાત્રા, તા.5 ગૌપૂજન તા.6 અન્નકૂટોત્સવ, તા.7 આચાર્ય મહારાજના આશીર્વાદ, તા.8 ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં રાજોપચાર પૂજન, તા.6-7-8 દરમ્યાન દરરોજ મહાવિષ્ણુયાગ રાખવામાં આવેલ છે. કથા દરમ્યાન ગોપીનાથજી મહારાજને ચંદનના વાઘા, નિત્ય થાળ, સંતોને રસોઇ ગુરુકુલ પરિવાર તરફથી રાખવામાં આવેલ છે.                  

 

(12:58 pm IST)