Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

અમદાવાદમાં સમીસાંજે રેલવેટ્રેક પર આગ લાગતા ટ્રેનો અને વાહન વ્યવહાર અટકાવ્યો

સાબરમતી રિવફ્રન્ટથી શાહીબાગ જવાના રસ્તે આવતા રેલવે ટ્રેક પર અચાનક આગ

અમદાવાદ:આજે સમીસાંજે રેલવેટ્રેક પર આગ લાગતા  આ ટ્રેક પરથી પસાર થતી ટ્રેનો અને ટ્રેક નીચેથી પસાર થતો વાહન વ્યવહાર અટકાવી દેવાયો હતો ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ દોડી ગયું હતું
 જાણવા મળતી વિગત મુજબ સાબરમતી રિવફ્રન્ટથી શાહીબાગ જવાના રસ્તે આવતા રેલવે ટ્રેક પર સાંજના સમયે અચાનક આગ લાગી હતી. જેને કારણે આ રસ્તા પર વાહન-વ્યવહાર રોકી દેવાયો હતો. જોકે,ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે

  આ આગને કારણે આ ટ્રેક પરથી પસાર થતી ટ્રેનોનો રોકી દેવાઈ હતી અને આ રેલવે ટ્રેક નીચેથી પસાર થતા વાહન વ્યવહારને પણ રોકી દેવાયો હતો.આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રેલવે ટ્રેક પાસેથી પસાર થતી પાઈપ લાઈન નજીક આગ લાગી હતી.જોકે 

સદનસીબે આગ વધુ મોટી ન હોવાથી કોઈ મોટું નુકસાન થયું નથી .

(8:42 pm IST)