Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

રાજ્ય માટે કાળમુખો રહ્યો શનિવાર : કુલ 6 અકસ્માતમાં 10ના મોત

અમદાવાદ : રાજ્યમાં શનિવારનો દિવસ કાળમુખો રહ્યો છે. શનિવારે અલગ અલગ  6 અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. જેમાં વડોદરામાં 3, સુરતમાં 2, પંચમહાલમાં 2, અંબાજીમાં 2 અને અમદાવાદમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

વડોદરાના સાવલીમાં સ્લેબ તૂટતા 2 લોકોના જીવ ગયા હતા. જર્જરિત સ્લેબ તૂટતા 3 શ્રમિકો દટાયા હતા જેમાં એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. તો અહીંના અટલાદરા બ્રિજ પર બસે સાયકલ સવારને ટક્કર મારતા સાઇકલ સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.

સુરતના કામરેજમાં નેશનલ હાઇવે પર ઉભેળ ગામે ત્રિપલ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા. શહેરાના તાડવા પાસે કાર ઉથલી પડતા 2 પોલીસકર્મીના મોત થયા હતા. અંબાજી – દાંતા રોડ પર બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા હતા. તો, ધંધુકા – બરવાળા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ૧ વ્યક્તીનું મોત થવા પામ્યું હતું

 

(11:27 pm IST)