Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

અમદાવાદમાં વ્યાજની પેનલ્ટી દરરોજ એક હજાર રૂપિયા ચુકવતો હોવા છતાં યુવકની હત્યા

અમદાવાદ : અમાદાવાદમાં વ્યાજખોર યુવકને માર મારતા તેનું મોત થતાં પોલીસે હત્યાનો ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

શહેરમાં હત્યાના બનાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. વ્યાજખોરો તેમજ હત્યારાઓઙ્ગ બેફામ બન્યા હોય તેમ હત્યા નો બનાવ બની રહયા છે. ત્યારે શહેરમાં આવેલા નિકોલ વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે એક યુવાનનું અપહરણ કરીને એની હત્યા કરી દેવાની દ્યટના સામે આવી છે. આ દ્યટનાની જાણ થતાં લોકોમાં હાહાકાર મચી ગયો હતો.ઙ્ગ

વટવા ટંકાર રેસીડેન્સીમાં રહેતા અલ્પેશે પોતાના મિત્ર સતેદ્ર રાજપૂત પાસેથી ૧ વર્ષ પહેલા સાડા ત્રણ લાખ રૂપિયા દસ ટકાના વ્યાજે લીધા હતા. અલ્પેશ રકમનું વ્યાજ દર મહિને ચૂકવી દેતો હતો પરંતુ ચાલુ મહિનામાં અલ્પેશે વ્યાજ ચુકવ્યું ન હતું. જેની પેનલ્ટી પેટે છેલ્લા ૧૫ દિવસથી દરરોજ ૧ હજાર આપતો હતો. ત્યારે બુધવારે સવારે અલ્પેશ ઓઢવ જવા માટે નિકળ્યો હતો ત્યારે સતેદ્ર રાજપુતે અલ્પેશને ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ અલ્પેશને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે હવે નિકોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(3:41 pm IST)