Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ગત મોડીરાત બાદ વડોદરાના નાગરવાડામાં આજે ફરીવાર પથ્થરમારો :તંગદિલી

બે જૂથો આમને સામને ;લારીઓ અને બાઇકોમાં તોડફોડ :છેડતીના કારણે મામલો બિચક્યો

વડોદરામાં નાગરવાડામાં ફરી પથ્થરમારાનો બનાવ બનાયો છે કારેલીબાગ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મામલે કાર્યવાહી હાથ ધરી છે ગત મોડી રાત બાદ ફરી વડોદરાના નાગરવાડામાં પથ્થરમારો થયો હતો
 જાણવા મળતી વિગતો મુજબ વડોદરાના નાગરવાડામાં 1 કોમના બે જૂથો આમને સામને આવી ગયા હતા અને લારીઓ અને બાઇકોની તોડફોડ કરી હતી. યુવતીની છેડતીના કારણે અથડામણ થઇ હોવાનું જાણવા મળ્યું છે. કાઠિયાવાડી ચાલ અને હરિજન ચાલમાં તોડફોડ કરાઈ છે. કારેલીબાગ પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ. હાથ ધરી હતી .

(9:17 pm IST)